હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય નાવિકોની તૈનાતી પર સરકારનો કડક પ્રતિબંધ
હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય નાવિકોની તૈનાતી પર સરકારનો કડક પ્રતિબંધ
Published on: 16th July, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માં ભારતીય નાવિકોના મોતના પગલે, ભારત સરકારે શિપિંગ કંપનીઓ માટે કડક એડવાઇઝરી જાહેર કરી છે. આગામી આદેશ સુધી, આ માર્ગ પરથી પસાર થતા કોઈપણ જહાજ પર ભારતીય નાવિકોની તૈનાતી ન કરવા સૂચના અપાઈ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) એ ભારતીય નાવિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી આ નિર્ણય લીધો છે. આ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.