બિલાવલ ભુટ્ટોએ સિંધુના પાણી મુદ્દે પરમાણુ યુદ્ધની ચીમકી આપી, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
બિલાવલ ભુટ્ટોએ સિંધુના પાણી મુદ્દે પરમાણુ યુદ્ધની ચીમકી આપી, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
Published on: 01st July, 2026

પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) મુદ્દે ફરી એકવાર ભારત પર ભડક્યા છે. પાકિસ્તાનમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં તેમણે કહ્યું કે, જો પાકિસ્તાનનું પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેને માત્ર પર્યાવરણીય કે રાજદ્વારી વિવાદ નહીં, પરંતુ દેશના અસ્તિત્વ પર હુમલો ગણવામાં આવશે. બિલાવલે પરમાણુ નીતિનો હવાલો આપીને કહ્યું કે, જો પાકિસ્તાનનું પાણી રોકવાની ક્રિયા 'Nuclear Armageddon' જેવી સ્થિતિનું નિર્માણ કરશે, તો તેનો જવાબ ગંભીરતાથી આપવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સિંધુ નદી પાકિસ્તાનની જીવાદોરી છે અને તે પોતાના પાણી, સંધિ, સાર્વભૌમત્વ અને ભવિષ્યની રક્ષા કોઈપણ સંજોગોમાં કરશે.