કેપ્ટન શ્રેયસ અય્યરનું દર્દ: ટીમની હારમાં વ્યક્તિગત ઉપલબ્ધિનું કોઈ મહત્ત્વ નથી
કેપ્ટન શ્રેયસ અય્યરનું દર્દ: ટીમની હારમાં વ્યક્તિગત ઉપલબ્ધિનું કોઈ મહત્ત્વ નથી
Published on: 10th July, 2026

બ્રિસ્ટલ ખાતે T20 મેચમાં ઇંગ્લેન્ડ સામે 9 વિકેટે કારમી હાર બાદ ભારતીય ટીમ પર સંકટ છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી છે. જો અંતિમ મેચ જીતી જશે, તો ઇંગ્લેન્ડ ICC T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર-1 ટીમ બની જશે. મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે નિરાશા વ્યક્ત કરી, કહ્યું કે 158 રન પૂરતા નહોતા અને ટીમ યોજનાઓ લાગુ કરવામાં નિષ્ફળ રહી. પોતાની 80 રનની ઇનિંગ્સ વિશે તેમણે કહ્યું કે ટીમ ન જીતે તો વ્યક્તિગત સિદ્ધિઓનું કોઈ મહત્વ નથી. તેમણે આને 'ટ્રાન્ઝિશન ફેઝ' ગણાવ્યો.