નેપાળમાં માટી-પથ્થરનું ભયાવહ પૂર
નેપાળમાં માટી-પથ્થરનું ભયાવહ પૂર
Published on: 08th September, 2026

નેપાળમાં જળપ્રલય નહીં, પરંતુ માટી અને પથ્થરોનું ભયાનક પૂર આવ્યું છે. ગુજરાતી સેવાભાવી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ બેત્રાવતીની ભયાનક સ્થિતિ વર્ણવી છે. તેમણે જણાવ્યું કે, પહાડો પરથી બે-બે માળ જેટલા પથ્થરો ધસી આવ્યા, જેના કારણે મકાનો, હોટલો અને પુલ કાટમાળમાં ગરકાવ થઈ ગયા. સેંકડો મૃતદેહો માટી નીચે દબાયા હોવાથી અત્યંત દુર્ગંધ ફેલાઈ રહી છે. વાઇરલ થયેલા એક ઘરમાંથી પ્લાસ્ટિક કેરેટની મદદથી 14 લોકોને બચાવવામાં આવ્યા હતા.