તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં ફરી મહાપ્રલયનો ભય
તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં ફરી મહાપ્રલયનો ભય
Published on: 28th August, 2026

નેપાળના રસૌવા જિલ્લામાં તિબ્બત સરહદ નજીક તળાવ ફાટ્યું છે, જેના કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ખતરાને ધ્યાનમાં રાખીને 90 મિનિટ માટે રેસ્ક્યુ ઓપરેશન અટકાવી દેવાયું છે. નેપાળી અધિકારીઓએ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવા કહ્યું છે. ચીને પણ તિબ્બતમાં રાહત કામગીરી રોકી લેવલ-4 એલર્ટ જાહેર કર્યું છે. ફરીથી પૂર આવવાના ભયને કારણે આ નિર્ણય લેવાયો છે. બુધવારના વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં 478 લોકોના મોત થયા છે, જ્યારે 1500 થી વધુ લાપતા છે.