નેપાળમાં જળપ્રલય, 26 ગુજરાતીઓ ગુમ
નેપાળમાં જળપ્રલય, 26 ગુજરાતીઓ ગુમ
Published on: 28th August, 2026

નેપાળમાં આવેલ વિનાશક પૂર બાદ ગુજરાતના 26 લોકો સંપર્કવિહોણા બન્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી નેપાળ ગયેલા આ લોકોના પરિવારજનો ખૂબ જ ચિંતિત છે. સૌથી વધુ અમદાવાદ અને આણંદ જિલ્લાના 5-5 લોકો ગુમ છે, જ્યારે ગાંધીનગર, સુરત, ખેડા, અમરેલી, વડોદરા, રાજકોટ અને વલસાડના પણ કેટલાક લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. અમેરિકામાં રહેતા ત્રણ ગુજરાતીઓ પણ ગુમ થયેલા લોકોમાં સામેલ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ માટે ગુજરાત અને નેપાળમાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.