સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી સુકાઈ
સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી સુકાઈ
Published on: 01st September, 2026

સંખેડા અને બહાદરપુર વચ્ચેથી પસાર થતી ઓરસંગ નદીમાં અપૂરતા વરસાદને કારણે પાણીની ભારે અછત સર્જાઈ છે. મધ્યપ્રદેશના ડુંગરમાંથી નીકળી છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી આ નદીમાં ચોમાસામાં પણ પૂર આવ્યું નથી. આ પરિસ્થિતિ ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય બની છે. પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે અને રવિ પાકની વાવણી કરવી પણ મુશ્કેલ બની શકે છે. વરસાદની ખેંચને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે.