ગાંધીનગરમાં જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચર વીજળી ખોરવાતાં ખેડૂતોમાં ભારે રોષ
ગાંધીનગરમાં જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચર વીજળી ખોરવાતાં ખેડૂતોમાં ભારે રોષ
Published on: 04th June, 2026

કાલોલ તાલુકાના અલવા, તરવડા અને કંડાચ ગામના ખેડૂતોએ MGVCL કચેરી અને મામલતદારને આવેદનપત્ર આપી જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનો વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ કરી છે. છેલ્લા દોઢ-બે મહિનાથી પ્રિમોન્સુન કામગીરી છતાં વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. વાવાઝોડાની અસર હેઠળ એગ્રીકલ્ચરનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ છે, જેના કારણે ચોળી, કોરા, દુધી, ગુવાર, ભીંડા જેવા શાકભાજીના પાક નિષ્ફળ ગયા છે. દરરોજ માંડ આઠ કલાક મળતી વીજળીમાં પણ ફોલ્ટના કારણે અવરોધ સર્જાતા ખેડૂતોમાં આક્રોશ છે.