ખજૂરના ઠળિયા વાવો, ગુજરાતને હરિયાળું બનાવો: ક્લાઈમેટ ચેન્જ સામે નવતર પહેલ
ખજૂરના ઠળિયા વાવો, ગુજરાતને હરિયાળું બનાવો: ક્લાઈમેટ ચેન્જ સામે નવતર પહેલ
Published on: 04th June, 2026

ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરો સામે લડવા વલસાડના પર્યાવરણ પ્રેમી પ્રો.ડૉ. મનોજ ગોંગીવાલાએ એક અનોખો અને શૂન્ય ખર્ચાળ પ્રયોગ સૂચવ્યો છે. એરેબિયન ખજૂરના ઠળિયાને કચરામાં ફેંકી દેવાને બદલે ચોમાસામાં વાવીને ગુજરાતને હરિયાળું બનાવવાનું આહ્વાન છે. ખજૂરના ઠળિયા સરળતાથી કોઈપણ જમીનમાં, ઓછા પાણી અને ખાતરથી ઉગી શકે છે અને માત્ર 3 વર્ષમાં ઘટાદાર વૃક્ષ બની જાય છે. આ પહેલ દ્વારા પર્યાવરણ જાળવણી અને નવી પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવી શકાશે.