થરાદના લાખણી નજીક સુજલામ સુફ્લામ કાચી કેનાલ ખાલીખમ
થરાદના લાખણી નજીક સુજલામ સુફ્લામ કાચી કેનાલ ખાલીખમ
Published on: 10th June, 2026

વાવ થરાદ જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફ્લામ કેનાલ હાલ ખાલીખમ છે, જેના કારણે ચોમાસુ વાવેતર કરવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. કાંકરેજ, દિયોદર, થરાદ, લાખણી અને ડીસામાંથી પસાર થતી આ કેનાલ ખાલી હોવાથી ભૂગર્ભ જળમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખેડૂતોને હવે 1,000 થી 1,200 ફૂટ ઊંડા બોરવેલ પણ નિષ્ફળ જવા લાગ્યા છે. આ પરિસ્થિતિમાં, ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને કેનાલ અને તળાવોમાં પાણી છોડવા રજુઆત કરી છે.