પોરબંદરમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં વિલંબ
પોરબંદરમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં વિલંબ
Published on: 05th June, 2026

પોરબંદરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં થઈ રહેલા વિલંબને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્રણ ખરીદી સેન્ટરો પર પૂરતા લેબર અને બારદાનના અભાવે ખરીદી ધીમી ચાલી રહી છે. અગાઉ રોજના 15 ખેડૂતો પાસેથી ખરીદી થતી હતી, જે હવે 50-70 કરવામાં આવી છે. 7,095 ખેડૂતોની નોંધણી સામે એક મહિનામાં માત્ર 576 ખેડૂતો પાસેથી જ ઘઉંની ખરીદી થઈ શકી છે. આયોજનના અભાવે ખેડૂતોને ખુલ્લી બજારમાં નીચા ભાવે વેચાણ કરવાની ફરજ પડી હતી.