સની લિયોન અને પતિ સામેનો છેતરપિંડી કેસ કોર્ટે ફગાવ્યો
સની લિયોન અને પતિ સામેનો છેતરપિંડી કેસ કોર્ટે ફગાવ્યો
Published on: 27th August, 2026

કોર્ટે બોલિવૂડ અભિનેત્રી સની લિયોન અને તેના પતિ સામેની છેતરપિંડીની ફરિયાદ ફગાવી દીધી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે આ મામલો ફક્ત વ્યાપારી કરારનો ભંગ હતો, છેતરપિંડી કે વિશ્વાસઘાત જેવો કોઈ ગુનો સાબિત થતો નથી. ફરિયાદીનો આરોપ હતો કે તેલુગુ ફિલ્મમાં રોલ અપાવવાના બદલે સની અને તેના પતિએ કમિશનની પૂરી રકમ ચૂકવી નહોતી. જોકે, કોર્ટે દસ્તાવેજો તપાસીને આક્ષેપોને માત્ર વાણિજ્યિક તકરાર ગણાવ્યા અને આ રિવિઝન અરજી ફગાવી દીધી.