સયાની ગુપ્તાને વિનિતા નેગી સામેના કેસમાં કોર્ટનો રાહતનો ચુકાદો
સયાની ગુપ્તાને વિનિતા નેગી સામેના કેસમાં કોર્ટનો રાહતનો ચુકાદો
Published on: 06th September, 2026

મુંબઈ સિટી સિવિલ કોર્ટે એક્ટર સયાની ગુપ્તાને ફિલ્મમેકર વિનિતા નેગી સામેના બદનક્ષીના કેસમાં રાહત આપી છે. કોર્ટે નેગીને સયાની ગુપ્તાની બદનક્ષી થાય તેવી કોઈ સામગ્રી સોશિયલ મીડિયા પર પ્રકાશિત ન કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ "આસમાની" ફિલ્મના વિવાદ સાથે જોડાયેલો છે. અદાલતે મેટા પ્લેટફોર્મ અને અમુક મીડિયા હાઉસને પણ બદનક્ષીભરી સામગ્રી હટાવવા જણાવ્યું છે. ગુપ્તાના દાવા મુજબ, નેગીએ સ્ક્રિન રાઇટર્સ એસોસિએશનમાં મામલો પેન્ડિંગ હોવા છતાં વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર બદનક્ષીભર્યા આક્ષેપો કર્યા હતા, જેના કારણે તેમની પ્રોફેશનલ ઇમેજ ખરડાઈ હતી.