અભિનેતા અવિનાશ વાધવાનને બે વર્ષ વિદેશમાં રહેવાનો ભારે પસ્તાવો
અભિનેતા અવિનાશ વાધવાનને બે વર્ષ વિદેશમાં રહેવાનો ભારે પસ્તાવો
Published on: 04th September, 2026

હિન્દી સિનેમામાં અચાનક બ્રેક લેવો કે અંગત કારણોસર વિદેશ જવું અભિનેતાઓને ભારે પડી શકે છે. ૧૯૯૭માં 'ફુલ બને પથ્થર', 'જુનુન' જેવી ફિલ્મોથી સફળતા મેળવનાર અવિનાશ વાધવાને અંગત કારણોસર બે વર્ષ વિદેશમાં રહેવાનો નિર્ણય લીધો, જે તેમના કરિયરમાં કારમો સાબિત થયો. ભારત પરત ફર્યા બાદ તેમને ફરીથી ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવવામાં મુશ્કેલી પડી. અવિનાશ જણાવે છે કે, "મારા સંવેદનશીલ સ્વભાવે અને અંગત જીવનને પ્રોફેશનલ લાઇફ પર હાવી થવા દેવાની ભૂલને કારણે મારું કરિયર બગડ્યું." હવે ૫૭ વર્ષીય અવિનાશ વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.