કિંજલ રબારીનું અપહરણ નથી થયું, વકીલના નિવેદનથી મોટો ખુલાસો
કિંજલ રબારીનું અપહરણ નથી થયું, વકીલના નિવેદનથી મોટો ખુલાસો
Published on: 07th September, 2026

લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ, કિંજલના વકીલ હીનાબેન ઠક્કરે આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. વકીલના જણાવ્યા મુજબ, કિંજલનું કોઈ અપહરણ થયું નથી, પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને બોલાવીને સ્વેચ્છાએ તેની સાથે ગઈ હતી. તેમના લગ્ન કાયદેસર છે અને આ લગ્ન અંગેનો કેસ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. ગેરકાયદેસર લગ્નના વિવાદમાં કિંજલે પોલીસને લેખિતમાં જાણ કરી દીધી છે.