ભૂપેન્દ્ર પટેલ: "વડોદરાવાસીઓએ સ્વચ્છતા અને વૃક્ષારોપણથી PM મોદીનું સ્વાગત કર્યું"
ભૂપેન્દ્ર પટેલ: "વડોદરાવાસીઓએ સ્વચ્છતા અને વૃક્ષારોપણથી PM મોદીનું સ્વાગત કર્યું"
Published on: 08th September, 2026

વડોદરામાં PM નરેન્દ્ર મોદીના સ્વાગત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યો અને સરકારની કામગીરી અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે વડોદરાવાસીઓએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ દ્વારા વિકાસના સંદેશ સાથે PM મોદીનું અભિવાદન કર્યું. PM મોદીના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. દેશ અને ગુજરાતમાં રેલવે, માર્ગો, અને માળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે પરિવહનને સરળ બનાવી વિકાસને વેગ આપશે.