પોરબંદર લોકમેળામાં 5 લાખ લોકો દ્વારા રૂ.25 કરોડના ખર્ચથી સ્થાનિક વેપાર તેજીમય
પોરબંદર લોકમેળામાં 5 લાખ લોકો દ્વારા રૂ.25 કરોડના ખર્ચથી સ્થાનિક વેપાર તેજીમય
Published on: 09th September, 2026

સુદામાપુરીમાં પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળામાં 5 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન, લોકોએ ખાણી-પીણી, મનોરંજન અને ખરીદી પર અંદાજે રૂ.25 કરોડનો ખર્ચ કર્યો, જેના કારણે સ્થાનિક વેપારમાં નોંધપાત્ર તેજી આવી. પેટ્રોલ-ડીઝલ અને ખાદ્ય ચીજોના ભાવ વધારા વચ્ચે પણ મેળાએ નાના વેપારીઓથી લઈને મોટા સ્ટોલધારકો સુધીના ધંધાને વેગ આપ્યો. આ આર્થિક લાભ માત્ર સ્ટોલધારકો પૂરતો સીમિત ન રહેતા, ફેરિયાઓ, ઓટોરિક્ષા ચાલકો અને અન્ય નાના ધંધાર્થીઓ માટે પણ રોજગારીની તકો ઊભી થઈ. ડિજિટલ પેમેન્ટનો વધતો ઉપયોગ પણ જોવા મળ્યો.