અંબાજી મંદિર શિખર પર હવે 5 મીટરથી મોટી ધજા નહીં, ટ્રસ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
અંબાજી મંદિર શિખર પર હવે 5 મીટરથી મોટી ધજા નહીં, ટ્રસ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
Published on: 09th September, 2026

ભાદરવી પૂનમ મેળા પહેલા અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવવા અંગે ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મહત્તમ 5 મીટર સુધીની જ ધજા ચઢાવી શકાશે. 5 મીટરથી મોટી ધજા ચઢાવવા પર પ્રતિબંધ રહેશે અને તેને માતાજીના ચરણોમાં અર્પણ કરાશે. આ નિર્ણય મંદિરના શિખર અને ધજા દંડની સુરક્ષા તેમજ દર્શનાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આ નિયમ 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.