અંબાજી ભાદરવી પૂનમ: 52 ગજની ધજા અને સેવા કેમ્પના નિયમ
અંબાજી ભાદરવી પૂનમ: 52 ગજની ધજા અને સેવા કેમ્પના નિયમ
Published on: 09th September, 2026

અંબાજી ખાતે આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. આ મેળામાં લાખો ભક્તો પદયાત્રા કરીને આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા 5 મીટરથી મોટી ધજા મંદિરના શિખર પર ચડાવવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. મોટી ધજા લાવનાર યાત્રિકોની ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરાશે. સેવા કેમ્પ યોજવા માંગતી સંસ્થાઓએ www.ambajitemple.in પર ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાવવી પડશે.