અશુદ્ધ ચાંદીનો મોટો જથ્થો ભારતીય બજારમાં ઠલવાયો!
અશુદ્ધ ચાંદીનો મોટો જથ્થો ભારતીય બજારમાં ઠલવાયો!
Published on: 27th May, 2026

સિલ્વર પ્રોડકટના ફરજિયાત હોલમાર્કિંગનું પાલન કરાવવા અનુરોધ કરાયો છે, જેથી ગ્રાહકોની સલામતિ જળવાઈ રહે. ચાંદીની ચીજવસ્તુઓની ચકાસણીમાં લીડ, નિકલ જેવી પ્રતિબંધિત ધાતુઓનું મિશ્રણ મળ્યું છે. હાલમાં ચાંદીના ભાવ આસમાને હોવાથી, અશુદ્ધ ચાંદી ભારતીય બજારમાં મોટા પાયે ઘુસાડવામાં આવી રહી છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને ઔદ્યોગિક માગને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.