વ્યારાના કુકરમુંડામાં વેપારીઓને દુકાન ખાલી કરવા નોટિસ
વ્યારાના કુકરમુંડામાં વેપારીઓને દુકાન ખાલી કરવા નોટિસ
Published on: 09th September, 2026

કુકરમુંડા ગ્રામપંચાયતની જગ્યામાં 50 વર્ષથી ધંધો કરતા નાના વેપારીઓને દુકાનો ખાલી કરવા નોટિસ અપાઈ છે. આ અંગે વેપારીઓએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે, આ દુકાનો અનેક પરિવારોના રોજગારનું સાધન છે. જો તેમને ખાલી કરાવવામાં આવે તો તેઓ રોજગારી ગુમાવશે. દબાણ દૂર કરવા રજૂઆત કરનાર વ્યક્તિ મહારાષ્ટ્રના હોવાનું જણાવી, વેપારીઓએ બંને પક્ષની હક્કીતો અને દસ્તાવેજોની નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. એકપક્ષીય કાર્યવાહી નહિ કરવા અને તમામ અનધિકૃત દબાણો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.