નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર
સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર બની રહ્યું છે. વિશ્વમાં ક્રુડ સ્ટીલના બીજા મોટા ઉત્પાદક દેશ ભારતે ગયા નાણાં વર્ષમાં ૬૬ લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી છે, જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ની તુલનાએ ૩૫.૯૦ ટકા વધુ છે. ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ ૮ ટકા વધી ૧૬.૪૨ કરોડ ટન રહ્યો હતો.
નાણાં વર્ષ 2025-26માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો
સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઈલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. UAE OPEC નિયમોથી હટીને પોતાની ક્રૂડ ઓઈલ ક્ષમતા વધારવા માંગે છે, તેથી તેણે પહેલી મેથી OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAEના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. UAE અને સાઉદી વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે તાજેતરમાં જ સાઉદી અને પાકિસ્તાને મજબૂત ભાગીદારી કરી છે. UAEના આ નિર્ણયના કારણે વૈશ્વિક માર્કેટમાં ઓઈલની સપ્લાય વધવાની શક્યતા છે.
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો
પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગ્યા સુધી 78.68 ટકા મતદાન.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સંબંધિત હિંસાના અહેવાલો વચ્ચે, મતદાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. 8 જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મતવિસ્તારોમાં લોકોએ મતદાન કરતાં લાંબી કતારો લાગી છે. જોકે, મતદાનની ગતિ પહેલા તબક્કાની તુલનામાં થોડી ધીમી દેખાય છે. ચૂંટણી પંચે બપોરે 3 વાગ્યા સુધી મતદાન ટકાવારીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 78.68% મતદાન થયું છે. આ સમયગાળા દરમિયાન, પૂર્વા બર્ધમાનમાં સૌથી વધુ મતદાન 83.11% નોંધાયું હતું, જ્યારે હુગલીમાં 80.77% મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગ્યા સુધી 78.68 ટકા મતદાન.
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન બુધવારે હિંસક ઘટનાઓ અને રાજકીય આક્ષેપ-પ્રતિક્ષેપ વચ્ચે ચાલી રહ્યું છે. નોઆપાડા, ફલતા અને બાલી જેવા વિસ્તારોમાં EVM ગરબડ અને ભાજપ-TMC કાર્યકરો વચ્ચેની અથડામણને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે. ઉત્તર 24 પરગણાના બારાનગરમાં બૂથ નંબર 72 પર પાંચ વખત EVM મશીન બદલવા છતાં મતદાન શરૂ ન થઈ શકતા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, નોઆપાડામાં ભાજપના નેતા અર્જુન સિંહે TMC પર બૂથની બહાર ડમી EVM રાખીને મતદારોને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર આજે બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે PM નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે PM નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મસમર્પણનો ભાગ છે.
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં “યુથ સબ-ગ્રુપ” પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી.
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત
નોઈડાના જાણીતા જીઆઈપી(GIP) મોલ સ્થિત વોટર પાર્કમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે મોજ-મસ્તી કરવા આવેલા 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટના મંગળવાર, 28 એપ્રિલના રોજ બની હતી. ગ્રેટર નોઈડાનો રહેવાસી આ યુવક જ્યારે વોટર પાર્કમાં ન્હાઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોટી લહેર આવતા તેની તબિયત બગડી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. મળતી માહિતી મુજબ, યુવક જ્યારે વોટર પાર્કના વેવ પુલમાં લહેરોનો આનંદ માણી રહ્યો હતો, ત્યારે અચાનક તેને અસ્વસ્થતા અનુભવાઈ હતી.
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો છે.
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે 1977ના 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ'(IEEPA)નો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા થયેલા 166 બિલિયન ડૉલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ 150 દિવસ માટે 10 ટકા ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, 'હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું.'
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન
અદાલતે સોનમ રઘુવંશીના કેસમાં તપાસ એજન્સીઓની ગંભીર ખામીઓ પર સવાલો ઉઠાવતા જામીન મંજૂર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે ધરપકડના દસ્તાવેજોમાં અસ્તિત્વમાં ન હોય તેવી કાયદાકીય કલમો (BNS 403(1)) ટાંકવામાં આવી હતી અને આરોપીને ધરપકડના કારણો તેમજ વકીલની સુવિધા આપવામાં આવી નહોતી. આ મૂળભૂત કાનૂની પ્રક્રિયાના ભંગને કોર્ટે ગંભીર ભૂલ ગણાવી છે. જોકે, સોનમને કડક શરતો સાથે જામીન અપાયા છે, જેમાં અદાલતની મંજૂરી વિના શિલોંગ જિલ્લો ન છોડવા જેવી મર્યાદાઓનો સમાવેશ થાય છે.
ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન
સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 77,200 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 અંક વધ્યો.
આજે 29 એપ્રિલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ છે, જેમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળીને 77,200 અને નિફ્ટી 24,100 ના સ્તરે પહોંચ્યા છે. ખાસ કરીને ઓટો, IT અને FMCG શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે અમેરિકી અને એશિયન બજારોમાં નરમાશ છે. સપ્લાયની ચિંતા અને વધતી માંગને કારણે ક્રૂડ ઓઇલ $110 પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ગઈકાલના ઘટાડા બાદ બજારે આજે ફરી રિકવરી દર્શાવી મજબૂત શરૂઆત કરી છે.
સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 77,200 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 અંક વધ્યો.
Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 413 પોઇન્ટનો વધારો.
બુધવારે એશિયન બજારોના મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૩૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭,૨૧૪ અને નિફ્ટી ૨૪,૧૦૦ ના સ્તરને પાર કરી ૨૪,૦૬૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓટો, રિયલ્ટી અને રિલાયન્સના શેરોમાં ખરીદીથી બજારને મજબૂતી મળી છે. જોકે, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાએ ચિંતા જન્માવી છે. વૈશ્વિક સ્તરે રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની બેઠક અને ઓપેક (OPEC) સંબંધિત સમાચારો પર ટકી છે.
Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 413 પોઇન્ટનો વધારો.
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન બુધવારે સવારે 7:00 વાગ્યે શરૂ થયું. આ બીજા તબક્કામાં, સાત જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 32,173,837 મતદારો મતદાન કરશે. તો બીજી તરફ પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. પીએમ મોદી કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી. મહાદેવજીનો અભિષેક કર્યો. અહીં શંખનાદ તથા ઢોલ નગારા વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા: 14 કિમીના રોડ શોમાં સમર્થકોએ ફૂલો વરસાવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં ૧૪ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજીને બાબા વિશ્વનાથના દર્શન અને રુદ્રાભિષેક કર્યા હતા. વર્ષ ૨૦૨૬ના તેમના આ પ્રથમ કાશી પ્રવાસ દરમિયાન બટુકોએ શંખનાદ સાથે અને જનતાએ પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંદિરની મુલાકાત બાદ પીએમ મોદી મુખ્યમંત્રી યોગી સાથે હરદોઈ જવા રવાના થશે, જ્યાં તેઓ મેરઠ અને પ્રયાગરાજને જોડતા ૫૯૪ કિમી લાંબા ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસ વિકાસ અને આસ્થાના સંગમ સમાન રહ્યો છે.
મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા: 14 કિમીના રોડ શોમાં સમર્થકોએ ફૂલો વરસાવ્યા.
બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર.
બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સાત જિલ્લાની 142 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં મમતા બેનર્જી અને સુવેંદુ અધિકારી જેવા દિગ્ગજોનું ભાવિ નક્કી થશે. આશરે 3.21 કરોડ મતદારો માટે 41,001 કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યપાલ અને ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાનની અપીલ કરી છે, જ્યારે અમિત શાહે ભ્રષ્ટાચારમુક્ત 'સોનાર બાંગ્લા'ના નિર્માણ માટે યુવાનો અને મહિલાઓને રેકોર્ડ મતદાન કરવા અનુરોધ કર્યો છે. પ્રથમ તબક્કાના અભૂતપૂર્વ મતદાન બાદ આ તબક્કો નિર્ણાયક માનવામાં આવે છે.
બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર.
UPનું બાંદા સતત બીજા દિવસે સૌથી ગરમ, પારો@45.6°C
દેશના અનેક શહેરો ભીષણ હીટવેવની ઝપેટમાં છે, જ્યાં ઉત્તર પ્રદેશનું બાંદા 45.6°C સાથે સૌથી ગરમ રહ્યું હતું. જોકે, હવામાન વિભાગે બુધવારથી દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે, જેનાથી ગરમીમાં રાહત મળશે. બીજી તરફ, મિઝોરમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 77 ઘરોને નુકસાન થયું છે અને અનેક શાળાઓ બંધ રાખવામાં આવી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં કરા પડવાની શક્યતાને પગલે ચારધામ યાત્રા પર પણ અસર પડી શકે છે.
UPનું બાંદા સતત બીજા દિવસે સૌથી ગરમ, પારો@45.6°C
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો
વિશ્લેષકોએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે તેમના આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. આ ઘટાડો ક્રૂડ ઓઇલના સતત વધતા ભાવ વચ્ચે જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારાનો પ્રભાવ હજુ સુધી સંપૂર્ણપણે પ્રગટ થયો નથી. જે આગામી કેટલાક ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ્સના નાણાકીય પ્રદર્શન પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે. તેઓ માને છે કે આ પ્રતિકૂળતા નાણાકીય વર્ષ ૨૦૨૭ના આંકડાઓને અસર કરશે.
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો
દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવાર, 29 એપ્રિલના રોજ સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લાઓની કુલ 142 બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 93.19% મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે.
દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ.
2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું
ભારતમાં રોકાણ તરીકે સોનું ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ૨૦૨૫ માં, કુલ સોનાના વપરાશના આશરે ૪૦% રોકાણ તરીકે ખરીદવામાં આવ્યા હતા, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ છે. ગોલ્ડ ઈટીએફ એ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના થકી ૩૭.૫ ટન સોનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ છેલ્લા ૧૦ વર્ષમાં કુલ રોકાણ કરતાં વધુ છે.
2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું
ભારતમાં દર વર્ષે 17,000 બાળકોના કેન્સરથી મોત થાય છે.
લાન્સેટના અહેવાલ મુજબ, ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં બાળકોમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક છે, જ્યાં ૮૨% નવા કેસ અને ૯૪% મૃત્યુ નોંધાય છે. વર્ષ ૨૦૨૩માં વિશ્વભરમાં અંદાજે ૩.૭૭ લાખ બાળકોએ કેન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૧.૪૫ લાખ નવા કેસ સામે આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે દરરોજ ૧૦૦૦થી વધુ બાળકો કેન્સરનો શિકાર બને છે, જેમાં લ્યુકેમિયા (બ્લડ કેન્સર) સૌથી વધુ જીવલેણ સાબિત થયું છે, જેનાથી એકલા ૨૦૨૩માં ૪૬,૦૦૦ બાળકોના મોત થયા હતા.
ભારતમાં દર વર્ષે 17,000 બાળકોના કેન્સરથી મોત થાય છે.
ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA)ને ટેક્સટાઈલ, લેધર, એપરલ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગોએ ઉમળકાભેર વધાવ્યો છે. આ કરારથી આ ક્ષેત્રોમાં નિકાસ વધવાની ઉજળી તકો છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ જે હાલ ૧.૬૬ કરોડ ડોલર છે, તે આગામી ત્રણ વર્ષમાં વધીને ૫ કરોડ ડોલર થવાની ધારણા છે. અન્ય ક્ષેત્રો પહેલેથી જ ડ્યુટી ફ્રી લાભ મેળવતા હોવાથી ત્યાં ખાસ ફેરફાર નહીં જણાય, પરંતુ લેધર અને ફૂટવેર ઉદ્યોગમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાનો અંદાજ છે.
ન્યુઝીલેન્ડ સાથેના FTAથી જેમ્સ જ્વેલરી ક્ષેત્રની નિકાસ પાંચ કરોડ ડોલર પહોંચશે.
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી તૂટી ગયા હતા. જો કે ઈરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠના પહલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલદીઠ ૧૧૨ ડોલર ઉપર ગયાના સમાચારથી વૈશ્વિક ક્રૂડ તેલના બજારોમાં આજે અજંપો વધ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધુ ચાર ટકા વધતાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૨.૭૦ ડોલર થઈ ૧૧૧.૯૫ ડોલર રહ્યા હતા.
ક્રૂડ ઉછળી 112 ડોલર: વૈશ્વિક સોનામાં કડાકા પાછળ ઘરઆંગણે થયેલી પીછેહટ
ખાશાબા જાધવ: સાડા સાત દાયકા પછી ન્યાય?
સ્વતંત્ર ભારતને પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ અપાવનાર મહાન કુસ્તીવીર ખાશાબા જાધવને સાડા સાત દાયકા પછી પણ પદ્મ પુરસ્કાર ન મળવો એ દેશની કરુણતા છે. ૧૯૫૨ની હેલસિંકી ઓલિમ્પિકમાં આર્થિક તંગી અને રમતગમતના રાજકારણ વચ્ચે પણ તેમણે બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. બૉમ્બે હાઇકોર્ટે હવે કેન્દ્ર સરકારને તેમને મરણોત્તર પદ્મવિભૂષણ આપવા અંગે ૪ મે, ૨૦૨૬ સુધીમાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. આઝાદીની ચળવળમાં ભાગ લેનાર અને પોલીસ અધિકારી તરીકે સેવા આપનાર આ હીરોની અવગણના હવે સમાપ્ત થવી જોઈએ.
ખાશાબા જાધવ: સાડા સાત દાયકા પછી ન્યાય?
મેધાવી મેઘાણી: સાચા 'રાષ્ટ્રીય શાયર'.
ઝવેરચંદ મેઘાણીએ પોતાના સાહિત્ય દ્વારા દેશભક્તિ અને લોકસાહિત્યની અસ્મિતાને જીવંત રાખી છે. 'વિદાય' અને 'છેલ્લો કટોરો' જેવા કાવ્યોમાં તેમણે સ્વાતંત્ર્યવીરોનું શૌર્ય અને ગાંધીજીના મનોમંથનને વાચા આપી છે. સૌરાષ્ટ્રના ગામડે-ગામડે રખડીને તેમણે લોકગીતો અને વાર્તાઓનું અમૂલ્ય સંશોધન કર્યું, જેમાં તળપદી બોલીનું ખમીર ઝીલાયું છે. 'કસુંબીનો રંગ' ગીત દ્વારા બલિદાન અને સંસ્કારોનો જે રંગ તેમણે પ્રગટાવ્યો, તે આજે પણ ભારતીય સંસ્કૃતિ અને લોકહૃદયમાં સાચા 'રાષ્ટ્રીય શાયર' તરીકે ધબકી રહ્યો છે.
મેધાવી મેઘાણી: સાચા 'રાષ્ટ્રીય શાયર'.
વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!
‘સાયન્સ’ જર્નલના અભ્યાસ મુજબ, વન્યજીવોનો વધતો વેપાર આગામી મહામારીનું મુખ્ય કારણ બની શકે છે. સંશોધન દર્શાવે છે કે વેપાર થતી ૪૧% પ્રજાતિઓ મનુષ્યોમાં રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે, જે જોખમ બિન-વ્યાપારી પ્રાણીઓ કરતા અનેકગણું વધુ છે. ગેરકાયદેસર વેપાર અને વિદેશી પ્રાણીઓને પાળવાનો ક્રેઝ જીવલેણ વાયરસોના સંક્રમણનું જોખમ ૫૦% સુધી વધારે છે. આથી, માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે બાયો-સર્વેલન્સ મજબૂત કરી વન્યજીવોના શિકાર અને વેપાર પર કડક પ્રતિબંધ મૂકવો અનિવાર્ય છે.
વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!
સાયબર સિક્યુરિટી: ચારધામ યાત્રાના નામે સાયબર ફ્રોડ શરૂ.
ચારધામ યાત્રા શરૂ થતાની સાથે જ સાયબર ગઠિયાઓએ હેલિકોપ્ટર બુકિંગ અને VIP દર્શનના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર સસ્તી ટિકિટની લોભામણી જાહેરાતો આપી, નકલી વેબસાઇટ્સ અને પ્રોફેશનલ વોટ્સએપ એજન્ટો દ્વારા લોકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા ખંખેરવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ ખાસ યાદ રાખવું જોઈએ કે હેલિકોપ્ટરનું સત્તાવાર બુકિંગ માત્ર IRCTCની વેબસાઇટ પરથી જ થાય છે. કોઈપણ અજાણી લિંક કે વ્યક્તિગત ખાતામાં નાણાં મોકલવાને બદલે સત્તાવાર માધ્યમોનો જ આગ્રહ રાખવો હિતાવહ છે.
સાયબર સિક્યુરિટી: ચારધામ યાત્રાના નામે સાયબર ફ્રોડ શરૂ.
ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ઓઈલ પુરવઠો ખોરવાવાની આશંકા અને રૂપિયાના અવમૂલ્યન જેવા નકારાત્મક પરિબળોએ શેરબજારની તેજી પર બ્રેક લગાવી છે. વૈશ્વિક સંકટને પગલે બેંકોના માર્જિન પર અસર થવાની ભીતિથી વિદેશી ફંડોએ બેંકિંગ શેરોમાં ભારે વેચવાલી કરી હતી, જેના કારણે સેન્સેક્સ ૪૧૬.૭૨ પોઈન્ટ ગબડીને ૭૬,૮૮૬ પર બંધ રહ્યો હતો. બેંકિંગ ઉપરાંત ઓટો અને આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જ્યારે રિલાયન્સ અને મેટલ શેરોમાં પસંદગીની ખરીદી નીકળી હતી.
ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887
ગુજરાતની પ્રજાએ સવેળા રાજકીય જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં
૧૯૦૭માં કૉંગ્રેસના ભાગલા બાદ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વેગીલી બની, જેની પ્રેરણા શ્રી અરવિંદે આપી હતી. મોહનલાલ પંડ્યા જેવા વીરોએ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પુસ્તિકાઓ દ્વારા ગુપ્ત રીતે ફેલાવી અને ૧૯૦૯માં અમદાવાદમાં લોર્ડ મિન્ટો પર બોમ્બ ફેંકી અંગ્રેજ સરકારને ચોંકાવી દીધી. વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્મા, માદામ કામા અને સરદારસિંહ રાણાએ આઝાદીનો પ્રચાર કર્યો. વડોદરાના પ્રજાપ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડે પણ અંગ્રેજોની મનમાની સામે ઝઝૂમીને રાષ્ટ્રવાદ અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરી ગુજરાતમાં રાજકીય જાગૃતિ આણી હતી.
ગુજરાતની પ્રજાએ સવેળા રાજકીય જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં
જોજો, ક્યાંક આ તેજસ્વી સુરતને ભૂલી ના જવાય...
૧ મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની સુરતમાં ઉજવણી થવાની છે, જે સુરતની વીરગાથાને યાદ કરવાનો ઉત્તમ અવસર છે. ૧૮૫૭ના વિપ્લવમાં મગદલ્લાની બહાદુર માછીમાર મહિલા જમનાની શહાદત અને કવિ હરિલાલ રાણાના લલકાર સુરતનું ખમીર દર્શાવે છે. ગાંધીજી પૂર્વે ૧૮૪૪માં મીઠાના કાયદા સામે 'સ્વરાજ'નો નાદ પણ સુરતે જ ગજવ્યો હતો. ૧૯૦૭નું કોંગ્રેસ અધિવેશન હોય કે ૧૯૩૮નું હરિપુરા અધિવેશન, સુરત હંમેશા આઝાદીની લડતનું કેન્દ્ર રહ્યું છે. આ ઐતિહાસિક સ્મૃતિઓને જાળવવી એ જ સાચો ઇતિહાસબોધ છે.
જોજો, ક્યાંક આ તેજસ્વી સુરતને ભૂલી ના જવાય...
આજ-કાલ: ચીન અને સ્વીડન સ્ક્રીનથી પુસ્તક તરફ.
વૈશ્વિક સ્તરે શિક્ષણમાં મોટા બદલાવના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ભારત માટે બોધપાઠ સમાન છે. ચીને ૬ થી ૧૫ વર્ષના બાળકો માટે શિક્ષણના વેપારીકરણ પર પ્રતિબંધ મૂકી તેને જાહેર હિત માટે અનિવાર્ય બનાવ્યું છે. બીજી તરફ, ટેક્નોલોજીના વધુ પડતા ઉપયોગથી વિદ્યાર્થીઓની સમજશક્તિ કથળતા સ્વીડન હવે ડિજિટલ શિક્ષણ છોડી ફરી પાઠ્યપુસ્તકો તરફ વળ્યું છે. માહિતીના અતિરેક વચ્ચે જ્ઞાન અને એકાગ્રતા જાળવવા માટે ડિજિટલ સાધનો અને પરંપરાગત પુસ્તકો વચ્ચે સંતુલન જાળવવું આવશ્યક છે.