મુંબઈની ‘ચાણક્ય ઇન્ટરનેશનલ’ વિશ્વની ટોચની લક્ઝરી બ્રાન્ડ્સ માટે ભરતકામ કરે છે
મુંબઈની ‘ચાણક્ય ઇન્ટરનેશનલ’ વિશ્વની ટોચની લક્ઝરી બ્રાન્ડ્સ માટે ભરતકામ કરે છે
Published on: 04th June, 2026

ક્રિશ્ચિયન ડાયોર, ગુચી, પ્રાડા જેવી વિશ્વની 30થી વધુ ટોચની લક્ઝરી બ્રાન્ડ્સ તેમના કપડાંનું ભરતકામ મુંબઈ સ્થિત 'ચાણક્ય ઇન્ટરનેશનલ' પાસેથી કરાવે છે. અહીંના કારીગરો 5,000 વર્ષ જૂના ભારતીય ભરતકામ વારસાને જીવંત રાખી રહ્યા છે. 1984માં ગુજરાતના વિનોદ શાહે સ્થાપેલી આ કંપનીનો ઉદ્દેશ્ય ભારતીય કારીગરીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો હતો. વિશ્વના સૌથી મોંઘા ડિઝાઈનર કપડાંમાં પણ ભારતીય ભરતકામની અદમ્ય માંગ છે. AI ક્યારેય હાથની આ કારીગરીની જગ્યા લઈ શકતું નથી, જે નવી પેઢીને શીખવવામાં આવી રહી છે.