સુરસાગર ડેરીમાં એકાઉન્ટ તાલીમ વર્ગ સંપન્ન: સુપરવાઇઝર અને અધિકારીઓને હિસાબી પ્રક્રિયામાં માર્ગદર્શન અપાયું
સુરસાગર ડેરીમાં એકાઉન્ટ તાલીમ વર્ગ સંપન્ન: સુપરવાઇઝર અને અધિકારીઓને હિસાબી પ્રક્રિયામાં માર્ગદર્શન અપાયું
Published on: 16th June, 2026

સુરસાગર ડેરી, સુરેન્દ્રનગર ખાતે પ્રોક્યોરમેન્ટ વિભાગના સુપરવાઇઝર અને સિનિયર અધિકારીઓ માટે યોજાયેલ સાત દિવસીય એકાઉન્ટ (હિસાબી) તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો. ડેપ્યુટી મેનેજર ડી. આઈ. પનારાએ હિસાબી પ્રક્રિયાઓ, વ્યવહારુ કાર્યપદ્ધતિઓ અને કાર્યક્ષમતા વધારવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. 15 એપ્રિલ, 2026ના રોજ સમાપન સમારોહમાં મેનેજિંગ ડિરેક્ટર ગુરુદિતસિંહે તાલીમની પ્રશંસા કરી ડી. આઈ. પનારાનું સન્માન કર્યું. પી.આર.સી. વિભાગના વડા વનરાજસિંહ ચાવડાએ પણ બુકે આપી સન્માનિત કર્યા.