અમરેલીમાં ખેડૂતના મળ્યા હાડકાં, વન્યપ્રાણી હુમલાની પ્રબળ આશંકા
અમરેલીમાં ખેડૂતના મળ્યા હાડકાં, વન્યપ્રાણી હુમલાની પ્રબળ આશંકા
Published on: 16th June, 2026

અમરેલીના સાવરકુંડલા તાલુકામાં 8 દિવસથી ગુમ ખેડૂતના ખેતરમાંથી મળેલા માનવ હાડકાં, લોહીવાળા કપડાં અને ટ્રેક્ટરથી વન્યપ્રાણી હુમલાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ખેડૂત દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈના ગુમ થયા બાદ તેમના ખેતરમાંથી મળેલા પુરાવાઓએ ચકચાર જગાવી છે. પોલીસે અને વનવિભાગની ટીમોએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલત જોતાં સિંહ કે દીપડા જેવા કોઈ હિંસક વન્યપ્રાણીએ હુમલો કર્યાની શક્યતા છે.