પોરબંદર લોકમેળામાં 3 દિવસમાં 66 મોબાઈલ અને 39 પર્સ ચોરાયા
પોરબંદર લોકમેળામાં 3 દિવસમાં 66 મોબાઈલ અને 39 પર્સ ચોરાયા
Published on: 07th September, 2026

પોરબંદરના ચોપાટી મેદાન ખાતે યોજાયેલા શ્રી કૃષ્ણ સખા સુદામા લોકમેળામાં ભારે ભીડનો લાભ ઉઠાવીને ગજવાકાતરુ ટોળકી સક્રિય બની છે. મેળાના માત્ર ત્રણ દિવસમાં જ મુલાકાતીઓના 66 મોબાઈલ ફોન અને 39 પર્સ-પાકીટ ચોરાયા હોવાની 100થી વધુ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનાઓએ મેળામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. પોલીસે આંતર-જિલ્લા ચોરોની શક્યતાને પગલે CCTV ફૂટેજ તપાસી અને સાદા ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરી સઘન તપાસ શરૂ કરી છે.