પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં અંધાધુંધ ફાયરિંગમાં 5 લોકોના મોત.
પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં અંધાધુંધ ફાયરિંગમાં 5 લોકોના મોત.
Published on: 28th May, 2026

પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. બલુચિસ્તાનના હરનાઈ જિલ્લામાં સશસ્ત્ર હુમલાખોરોએ ચેકપોસ્ટ બનાવીને નાગરિકોના CNICની તપાસ કરતાં વિરોધ બાદ અંધાધુંધ ગોળીબાર કર્યો, જેમાં એક રાજકીય નેતા સહિત પાંચ લોકોના મોત થયા. આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, કરાચીમાં પ્રેમ લગ્ન કરનાર યુગલની કોર્ટમાંથી પાછા ફરતી વખતે સરેઆમ ગોળી મારી હત્યા કરવામાં આવી, જે 'ઓનર કિલિંગ' હોવાનું મનાય છે. આ ઘટનાઓએ પાકિસ્તાનમાં ભયનો માહોલ સર્જ્યો છે.