ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ
ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ
Published on: 28th May, 2026

ખનીજમાફિયાઓના કાળા સામ્રાજ્ય પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઇકજામવાડી, ખાખરાથળ, ભાડુલા, ભેટ સહિતના વિસ્તારોમાં ૨,૨૦૦ જેટલી કાર્બોસેલની ખાણો બંધ કરાવીને ૧,૧૦૦ જેટલા જોખમી કૂવા બુર્યાચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને ચોટીલા પંથકમાં વર્ષોથી બેફામ ચાલી રહેલા ખનીજચોરીનાં ગોરખધંધા પર વહીવટી તંત્રે એક વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ખનીજ માફિયાઓના કાળા સામ્રાજ્ય પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઇકમાં રૂા.૧,૦૦૦ કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ છે અને તેનો ખાસ રિપોર્ટ પણ હાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.