અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટના: 9 મોત બાદ પણ તંત્રની નિષ્ક્રિયતા
અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટના: 9 મોત બાદ પણ તંત્રની નિષ્ક્રિયતા
Published on: 19th July, 2026

અમદાવાદના મેહમુદપુરામાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગતા 9 લોકોના દુઃખદ અવસાન બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં, તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોડી રાત્રિના સર્ચ ઓપરેશન દરમિયાન, ખુલ્લા ખેતરમાં ધમધમતા માત્ર 2 ગેરકાયદે એકમો સામે જ પગલાં લેવાયા છે. જપ્ત કરાયેલા દારૂગોળા પર પાણી છાંટી તેનો નાશ કરવામાં આવ્યો અને બંને એકમોને સીલ કરી દેવાયા. આશ્ચર્યજનક રીતે, શહેરમાં અનેક ગેરકાયદે કારખાનાઓની આશંકા હોવા છતાં AMC કે પોલીસ તંત્ર દ્વારા અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.