જામનગરના જોડિયામાં દરિયાઈ ભરતીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો
જામનગરના જોડિયામાં દરિયાઈ ભરતીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો
Published on: 03rd September, 2026

જામનગરના જોડીયા તાલુકાના રણજીતપર-બાલંભા ગામ નજીક ચોગલે કંપનીના વિસ્તારમાં તા.31 ઓગસ્ટના સાંજના છ વાગ્યા પહેલાંના સમયગાળા દરમિયાન દરિયાઈ ભરતીના કારણે એક અજાણ્યા પુરુષની લાશ તણાઈ આવી હતી. બનાવ અંગે કંપનીના સુરક્ષા સુપરવાઈઝર દીનેશભાઈ રાજમણીભાઈ દુબેએ તા.2 સપ્ટેમ્બરના રોજ જોડીયા પોલીસમાં જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક પુરુષની ઓળખ હાલ થઈ શકી નથી.