બનાસકાંઠાના પાલનપુર નજીક ST બસ અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં 3ના મોત
બનાસકાંઠાના પાલનપુર નજીક ST બસ અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં 3ના મોત
Published on: 29th July, 2026

બનાસકાંઠાના પાલનપુર નજીક ખરોડિયા ચોકડી પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. વડગામ તરફથી આવતી પેસેન્જર રિક્ષા અને ગુજરાત એસ.ટી. બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 6 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.