પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ!
પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ!
Published on: 29th July, 2026

પંચમહાલના પ્રસિદ્ધ પાવાગઢ તીર્થધામ ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. ઉષા બેક્રો કંપની દ્વારા સંચાલિત પાવાગઢ રોપ-વે આગામી 5 દિવસ માટે જાળવણી કાર્ય માટે બંધ રહેશે. સુરક્ષા અને ટેકનિકલ મરામતની કામગીરી માટે આ નિર્ણય લેવાયો છે. 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા સંપૂર્ણ બંધ રહેશે. આ દરમિયાન કેબલ કારની સુરક્ષા તપાસ અને મશીનરીનું ઓવરહોલિંગ કરાશે. યાત્રિકોની સુરક્ષા સર્વોચ્ચ છે. 8 ઓગસ્ટથી રોપ-વે સેવા ફરી શરૂ થશે.