સુરેન્દ્રનગરના ખાખરાળી ચોકડી પાસે પરમિટ વગરનું મોરમ ભરેલું ડમ્પર ઝડપાયું
સુરેન્દ્રનગરના ખાખરાળી ચોકડી પાસે પરમિટ વગરનું મોરમ ભરેલું ડમ્પર ઝડપાયું
Published on: 28th June, 2026

થાન પંથકમાં ખનીજ માફિયાઓ સામે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. થાન મામલતદાર અને તેમની ટીમે ગુપ્ત બાતમીના આધારે ખાખરાળી ચોકડી નજીક વોચ ગોઠવીને પરમિટ વગર મોરમ ભરેલું એક ડમ્પર ઝડપી પાડ્યું. તપાસ દરમિયાન, આ ડમ્પર ગેરકાયદે ખનીજ પરિવહન કરતું હોવાનું જણાયું. અધિકારીઓએ અંદાજે રૂ. 20 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે અને ડમ્પરને થાનગઢ મામલતદાર કચેરી ખાતે સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યું છે. આ મામલે રોયલ્ટી ચોરી અને દંડ વસૂલાત સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી ખનીજ વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.