ગીરમાં ગેરકાયદે રિસોર્ટ્સ અને હોટેલ્સ પર શા માટે થયું એકાએક એક્શન?
ગીરમાં ગેરકાયદે રિસોર્ટ્સ અને હોટેલ્સ પર શા માટે થયું એકાએક એક્શન?
Published on: 16th July, 2026

ગુજરાતના જંગલ વિસ્તારોમાં માનવીય દખલગીરી વધવાથી વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જંગલ બહાર આવી રહ્યા છે. લાંબા સમયથી આ વાસ્તવિકતા છતાં, સરકારે અભયારણ્યો અને તેની આસપાસના પ્રતિબંધિત વિસ્તારોમાં કમાણી અને મોજશોખ માટે હોટેલો, રિસોર્ટ્સ અને ફેક્ટરીઓને ધમધમવા દીધી. હવે અચાનક જાગેલી સરકાર ગીર અને આસપાસના વિસ્તારોમાં બનેલા ગેરકાયદે રિસોર્ટ્સ તોડી પાડવાનો દેખાડો કરી રહી છે. 8 લોકોના શિકાર પછી જાગેલું તંત્ર, માનવીઓ સિંહના વસવાટમાં ઘૂસણખોરી કરે તો સિંહોને પણ માનવ વસાહતમાં આવવાનો હક છે, તે સામાન્ય વાત કેમ સમજતું નથી?