રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો!
ભારતીય રેલવેએ તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ પાછળ અસામાજિક તત્વોનો હાથ હોવાનો દાવો કર્યો છે. રાજસ્થાનના અમરપુરા અને કોટા, બિહારના સાસારામ તથા પશ્ચિમ બંગાળના હાવડામાં બનેલી ઘટનાઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અમરપુરામાં ટ્રેનની ચાદરોમાં ઇરાદાપૂર્વક આગ લગાડવાનો પ્રયાસ થયો હતો, જ્યારે હાવડામાં બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળ્યું હતું. કોટાની રાજધાની એક્સપ્રેસમાં બાથરૂમમાંથી આગ નીકળી હતી અને સાસારામમાં ખાલી કોચમાં સળગતી વસ્તુ ફેંકાતા આગ ભભૂકી ઉઠી હતી.
રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો!
'કોકરોચ જનતા પાર્ટી': બેરોજગારોનો નવો અવાજ, સિસ્ટમ સામે વિરોધનો મોરચો.
ભારતમાં 'કોકરોચ જનતા પાર્ટી' (Cockroach Janata Party- CJP) નામનો નવો રાજકીય ટ્રેન્ડ ઉભરી આવ્યો છે. બેરોજગાર યુવાનો, ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણથી જન્મેલા આ પક્ષે માત્ર 72 કલાકમાં 1 લાખથી વધુ સભ્યોને જોડ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની ટિપ્પણી સામે વિરોધ રૂપે શરૂ થયેલ આ ચળવળ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિત અનેક સેલિબ્રિટીઝને પણ આકર્ષી રહી છે. CJPનું સ્લોગન 'ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ!' છે અને તેના 5 મુદ્દાના મેનિફેસ્ટોમાં અનેક ગંભીર મુદ્દાઓ આવરી લેવાયા છે.
'કોકરોચ જનતા પાર્ટી': બેરોજગારોનો નવો અવાજ, સિસ્ટમ સામે વિરોધનો મોરચો.
ઓઇલ ગેસની ચિંતા, હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં!
ભારતે અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ પરથી ફરી ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય શરૂ કરવા મોટી તૈયારીઓ શરૂ કરી છે. સૂત્રો મુજબ, ભારતે આ સમગ્ર પ્લાનને અંતિમ રૂપ આપી દીધો અને જહાજો મોકલવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પણ ખાડી ક્ષેત્રમાં ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. પરંતુ આ માટે ભારતીય નૌકાદળ અને કેન્દ્ર સરકારની અંતિમ સુરક્ષા મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ જળમાર્ગ અત્યંત સંવેદનશીલ બન્યો હોવા છતાં ભારત સપ્લાય ચેન ફરી સક્રિય કરવા પ્રયત્ન કરી રહ્યું છે.
ઓઇલ ગેસની ચિંતા, હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં!
'આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર.
રાહુલ ગાંધીએ ‘મેલોડી’ ટૉફી મામલે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે દેશ આર્થિક પડકારો સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન ઈટાલીમાં ટૉફી વહેંચી રહ્યા છે. રાહુલે ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના વેપારીઓની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને આને “નેતૃત્વ નહીં, નાટક” ગણાવ્યું. ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મોદી દ્વારા ‘મેલોડી’ ટૉફી ગિફ્ટ કરાયા બાદ સોશિયલ મીડિયા પર #Melodi ચર્ચામાં આવ્યું હતું. મેલોનીએ આ ગિફ્ટ માટે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
'આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર.
મમતાના ભત્રીજાની સંપત્તિઓ પર કાર્યવાહી?
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના અભિષેક બેનરજીની મિલકતો સામે કોલકાતા નગર નિગમ (KMC) દ્વારા મોટી કાર્યવાહી થવાના સંકેત મળ્યા છે. મીડિયા અહેવાલો મુજબ KMCએ તેમની 17 જેટલી મિલકતો અંગે ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ પાઠવી છે અને નકશા, લિફ્ટ તથા એસ્કેલેટર સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ TMC નેતાઓની મિલકતોની વિગતો એકત્ર કરવાની સૂચના આપી હોવાનું કહેવાય છે. અભિષેક બેનરજી પાસે આ નોટિસને કાનૂની રીતે પડકારવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
મમતાના ભત્રીજાની સંપત્તિઓ પર કાર્યવાહી?
PM મોદીને પ્રશ્ન પૂછતાં પત્રકાર હેલી લિંગના Facebook-Insta એકાઉન્ટ સસ્પેન્ડ.
નોર્વેની પત્રકાર હેલી લિંગે PM મોદીને પૂછેલા પ્રશ્નો બાદ દાવો કર્યો છે કે તેના Facebook અને Instagram એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયા છે. ઓસ્લોમાં ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથેની દલીલ બાદ મેટા કંપનીએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. આ ઘટના પ્રેસની આઝાદી પર પ્રશ્નો ઊભા કરે છે. આ વિવાદ બાદ હેલીના X એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યામાં મોટો વધારો થયો છે.
PM મોદીને પ્રશ્ન પૂછતાં પત્રકાર હેલી લિંગના Facebook-Insta એકાઉન્ટ સસ્પેન્ડ.
જામનગર SOGની લાલપુરના બાબરીયા ગામે ખનીજ ચોરી પર મોટી કાર્યવાહી.
જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે ચાલતી ઝુંબેશ હેઠળ લાલપુર તાલુકાના બાબરીયા ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. Special Operations Groupએ દરોડો પાડી મંજૂર લીઝ વિસ્તાર બહાર ગેરકાયદેસર પથ્થર ખનન કરતા ઈસમ સામે કાર્યવાહી કરી છે. સ્થળ પરથી પથ્થર કાઢવાના 3 મશીનો જપ્ત કરાયા છે અને આશરે ₹8 લાખનો દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ થઈ છે. બાતમીના આધારે SOGએ ખાણ-ખનીજ વિભાગ અને લાલપુર પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર SOGની લાલપુરના બાબરીયા ગામે ખનીજ ચોરી પર મોટી કાર્યવાહી.
GCAS ઓફિસમાં ABVP દ્વારા તોડફોડ, એડમિશન પોર્ટલની ખામીઓ સામે રોષ.
GCAS પોર્ટલમાં વ્યાપક ખામીઓના વિરોધમાં ABVP દ્વારા KCG ખાતે ઉગ્ર દેખાવો કરાયા. સંતોષકારક ઉત્તર ન મળતા GCASની ઓફિસનો દરવાજો તોડી નાખ્યો. પોલીસે અટકાવતા બહાર ધરણા પર બેસી રામધૂન બોલાવી. GCAS પોર્ટલમાં સતત ટેકનિકલ મુશ્કેલીઓ અને વિદ્યાર્થીઓની સમસ્યાઓના નિવારણના અભાવે આક્રમક વલણ અપનાવાયું. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસથી રેલી કાઢી GCAS ઓફિસ પહોંચતા ઘર્ષણ થયું. અધિકારીઓના નકારાત્મક વલણથી આક્રોશિત કાર્યકર્તાઓએ એન્ટ્રી ગેટ તોડી નાખ્યો.
GCAS ઓફિસમાં ABVP દ્વારા તોડફોડ, એડમિશન પોર્ટલની ખામીઓ સામે રોષ.
મોહમ્મદ શમીની અવગણના? અજીત અગરકરનું નિવેદન ચર્ચામાં.
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI સિરીઝમાં મોહમ્મદ શમીની પસંદગી ન થતાં વિવાદ સર્જાયો છે. Chief Selector અજીત અગરકરે જણાવ્યું કે, મેડિકલ રિપોર્ટ મુજબ શમી માત્ર T20 ક્રિકેટ માટે ફિટ છે. સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં તેની અવગણનાથી ફેન્સ નારાજ છે. શમી લાંબા સમયથી ફિટનેસ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.
મોહમ્મદ શમીની અવગણના? અજીત અગરકરનું નિવેદન ચર્ચામાં.
નારણપુરા જ્વેલર્સમાંથી ગ્રાહક બની ચોર સોનાનું કડું ચોરી ફરાર.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે વેપારીની નજર ચૂકવીને રૂ. 1.50 લાખની કિંમતના સોનાના કડાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે, ચોરી કર્યા બાદ તે સીધો રાજકોટ ભાગી ગયો હતો. જ્યાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે. ઘાટલોડિયામાં રહેતા અને નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે જ્વેલર્સની દુકાન ચલાવતા 48 વર્ષીય કેતનકુમાર રમણલાલ પટેલે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી. 7 અને 8 મેએ આ અજાણ્યો શખ્સ સોનાની વીંટી અને ચેઇન ખરીદવાના બહાને દુકાને આવ્યો હતો.
નારણપુરા જ્વેલર્સમાંથી ગ્રાહક બની ચોર સોનાનું કડું ચોરી ફરાર.
ડેટિંગ એપ પર નકલી PSI બની યુવતી સાથે 79 હજારની ઠગાઈ.
અમદાવાદમાં ડેટિંગ એપના માધ્યમથી પોતાને ક્રાઇમ બ્રાન્ચનો સાયબર સિક્યોરિટી ઓફિસર ઓળખાવી, એક યુવતીને લગ્નની જાળમાં ફસાવીને હજારો રૂપિયા પડાવી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. પરંતુ વધુ પડતી લાલચના કારણે તેનો ભાંડો ફૂટી ગયો છે. નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી નકલી PSIની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડેટિંગ એપ પર નકલી PSI બની યુવતી સાથે 79 હજારની ઠગાઈ.
વડોદરા કોર્ટ: પતિના મૃત્યુ બાદ ભરણપોષણ ચૂકવવા સાસુ-સસરા, જેઠ જવાબદાર નથી.
વડોદરામાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ)ની ફરિયાદ દાખલ કરી હતી. જો કે, આ કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે જ તેના પતિનું મૃત્યુ થયું હતું. આ સ્થિતિમાં કોર્ટે મહિલાની સુરક્ષા માટે પ્રોટેક્શન ઓર્ડર જાહેર કર્યો છે, પરંતુ ભરણપોષણની માંગણી પર ચુકાદો આપતા સ્પષ્ટ નોંધ્યું છે કે પતિના અવસાન બાદ સાસુ, સસરા કે જેઠ ભરણપોષણ ચૂકવવા માટે કાયદાકીય રીતે જવાબદાર નથી.
વડોદરા કોર્ટ: પતિના મૃત્યુ બાદ ભરણપોષણ ચૂકવવા સાસુ-સસરા, જેઠ જવાબદાર નથી.
BHU માં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો.
બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં MA History ના પ્રશ્નપત્રમાં 'બ્રાહ્મણવાદી પિતૃસત્તાએ મહિલાઓની પ્રગતિને કેવી રીતે અવરોધી?' સવાલ પૂછાયો. આનાથી પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ વચ્ચે ભારે હોબાળો મચી ગયો છે. પ્રોફેસરોએ તેને પૂર્વગ્રહયુક્ત અને વામપંથી વિચારધારાનો પ્રભાવ ગણાવ્યો. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પણ આ અંગે સરકાર પર હિન્દુઓમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો. કાશી વિદ્વાન પરિષદે પણ પ્રશ્નના આધાર પર સવાલ ઉઠાવ્યો, જ્યારે કુલપતિએ ટૂંકમાં જવાબ આપ્યો.
BHU માં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો.
ભાજપ સરકાર ટૂંક સમયમાં દિલ્હીમાંથી હટી જશે: મમતા બેનર્જી
TMCની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ચૂંટણી પછીની કથિત હિંસા વિરુદ્ધ મમતા બેનર્જી વકીલના ડ્રેસમાં કોર્ટ પહોંચ્યા હતા. 2026ની ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતતા TMC માત્ર 80 બેઠકો સુધી સીમિત રહી હતી. કાલીઘાટ ખાતે ધારાસભ્યોને સંબોધતા મમતાએ દાવો કર્યો કે ભવિષ્યમાં ભાજપને કેન્દ્રની સત્તાથી પણ હટાવવામાં આવશે. તેમણે કહ્યું કે બંગાળમાં TMCનું શાસન ભલે સમાપ્ત થયું હોય, પરંતુ ભાજપ સામેની લડાઈ ચાલુ રહેશે.
ભાજપ સરકાર ટૂંક સમયમાં દિલ્હીમાંથી હટી જશે: મમતા બેનર્જી
વિરાટ કોહલી નું બેટ બનવામાં લાગે છે આટલા વર્ષ!
એક પ્રીમિયમ બેટ બનવાની સફર એક નાના છોડથી શરૂ થાય છે અને ખેલાડીના હાથ સુધી પહોંચવામાં 20 વર્ષ લે છે. કોહલી જે બેટથી રનનો વરસાદ કરે છે તેને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં કેટલાય વર્ષોની સખત મહેનત અને પ્રક્રિયા લાગે છે. આ પ્રક્રિયામાં યોગ્ય હવામાન, ખાસ પ્રકારના વૃક્ષો અને કુશળ કારીગરોની વર્ષોની મહેનત શામેલ હોય છે. વિશ્વના મોટાભાગના પ્રીમિયમ ક્રિકેટ બેટ બનાવવા માટે ઇંગ્લેન્ડમાં ઉગતા ખાસ 'અંગ્રેજી વિલો' વૃક્ષોનો ઉપયોગ થાય છે. આ વૃક્ષોનું લાકડું વજનમાં ખૂબ જ હલકું અને અંદરથી અત્યંત મજબૂત હોય છે. ઇંગ્લેન્ડની ચોક્કસ માટીના કારણે જ ત્યાંના લાકડામાં એક ખાસ પ્રકારની પ્રીમિયમ ગુણવત્તા જોવા મળે છે.
વિરાટ કોહલી નું બેટ બનવામાં લાગે છે આટલા વર્ષ!
ટ્વિશા શર્માએ આત્મહત્યા કરી તો શરીર પર ઘાના નિશાન કેવી રીતે?
ભોપાલમાં ટ્વિશા શર્માના મોત મામલે પરિવારએ આત્મહત્યાની થિયરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારનો દાવો છે કે જો ટ્વિશાએ આત્મહત્યા કરી હોય તો તેના શરીર પર ઇજાના અનેક નિશાન કેમ મળ્યા? તેમણે સાસરિયાઓ પર દહેજ માટે માનસિક અને શારીરિક સતામણીનો આરોપ લગાવ્યો છે. પરિવારએ રાષ્ટ્રપતિને નિષ્પક્ષ તપાસ માટે અપીલ કરી છે, જ્યારે એક વકીલે CJI અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટને પણ પત્ર લખ્યો છે. ભોપાલ કોર્ટે પતિ સમર્થ સિંહની આગોતરી જામીન અરજી ફગાવી છે અને પોલીસ તેની શોધમાં કાર્યવાહી કરી રહી છે.
ટ્વિશા શર્માએ આત્મહત્યા કરી તો શરીર પર ઘાના નિશાન કેવી રીતે?
ઇન્ડિયન ઓઇલ પાસે 1 મહિનાનો કાચા તેલનો સ્ટોક.
Indian Oil Corporationએ જણાવ્યું છે કે અમેરિકા-ઈરાન તણાવ છતાં દેશમાં ક્રૂડ ઓઇલની અછત નહીં સર્જાય, કારણ કે કંપની પાસે એક મહિનાથી વધુનો સ્ટોક ઉપલબ્ધ છે. હોર્મુઝ રૂટ અવરોધિત થતાં LPG સપ્લાયમાં થોડો પ્રભાવ પડ્યો છે, પરંતુ ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, અંગોલા અને ઓમાનમાંથી તાત્કાલિક ખરીદી શરૂ કરીને પુરવઠો જાળવવામાં આવી રહ્યો છે. કંપનીનો Q4FY26માં નફો 81% વધીને ₹15,176 કરોડ થયો છે. શેરધારકો માટે ₹1.25 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. IOC આગામી વર્ષે રિફાઇનરી વિસ્તરણ માટે ₹32,700 કરોડનું રોકાણ કરશે.
ઇન્ડિયન ઓઇલ પાસે 1 મહિનાનો કાચા તેલનો સ્ટોક.
ડ્રોનથી મિસાઈલનું સફળ પરીક્ષણ: ટેન્ક, ડ્રોન, હેલિકોપ્ટરને નિશાન બનાવશે.
PM મોદી અને મેલોનીની Rome માં સેલ્ફી વાઇરલ!
PM મોદી યુરોપીય પ્રવાસના અંતિમ ચરણમાં ઇટાલી પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. ઇટાલીના PM જૉર્જિયા મેલોનીના આમંત્રણ પર આ યાત્રા બંને દેશોના વ્યૂહાત્મક સંબંધો માટે ખાસ છે. Rome પહોંચતા PM મેલોનીએ PM મોદી સાથે શાનદાર સેલ્ફી શેર કરી, જેના કેપ્શનમાં લખ્યું, 'રોમમાં તમારું સ્વાગત છે, મારા મિત્ર!' આ તસવીર તરત જ વાઇરલ થઈ ગઈ.
PM મોદી અને મેલોનીની Rome માં સેલ્ફી વાઇરલ!
ઉત્તર અને મધ્ય ભારતમાં ભયંકર ગરમી, દક્ષિણમાં ભારે વરસાદની warning.
IMD મુજબ, ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમ પવનનો પ્રકોપ ચાલુ છે, ખાસ કરીને દિલ્હી-NCR, યુપી અને બિહારમાં હીટવેવ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ભારતમાં તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી છે. ઝારખંડમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે મધ્ય પ્રદેશમાં આંધી-વરસાદની શક્યતા છે. દેશનું હવામાન અસ્થિર છે, સાવચેતી જરૂરી.
ઉત્તર અને મધ્ય ભારતમાં ભયંકર ગરમી, દક્ષિણમાં ભારે વરસાદની warning.
લૂંટેરી દુલ્હન ટોળકીના મુખ્ય સાગરિતની ધરપકડ, ₹2.15 લાખની છેતરપિંડી.
ડુંગરામાં ઓનલાઈન જ્વેલરી ફ્રોડ રેકેટનો પર્દાફાશ.
વલસાડ નજીક ડુંગરા પોલીસે હાઈટેક ઓનલાઈન જ્વેલરી ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ 378 ગ્રાહકો સાથે ₹3,38,642 ની છેતરપિંડી કરી. પોલીસે બે મહિલાઓ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી, ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ સોશિયલ મીડિયા પર સસ્તા દાગીનાની લાલચ આપી COD દ્વારા પૈસા પડાવતા અને પાર્સલમાં નકલી માલ મોકલતા. BNS હેઠળ ગુનો નોંધાયો, તપાસ ચાલુ.
ડુંગરામાં ઓનલાઈન જ્વેલરી ફ્રોડ રેકેટનો પર્દાફાશ.
PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની G7 સમિટમાં મુલાકાત.
આગામી જૂનમાં ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં PM નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે. આ 16 મહિના બાદ બંને નેતાઓ વચ્ચેની પ્રથમ મુલાકાત હશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા PM મોદીને વિશેષ આમંત્રણ અપાયું છે. ભારત G7નો સભ્ય ન હોવા છતાં, તેની વૈશ્વિક ભૂમિકાને કારણે તેને આમંત્રિત કરાયું છે. આ મુલાકાત વૈશ્વિક સમીકરણો અને દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ ગણાશે.
PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની G7 સમિટમાં મુલાકાત.
PM મોદી-મેલોની સેલ્ફી ઇટાલી પહોંચતા વાયરલ.
PM મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર પહોંચ્યા. મેલોનીએ PM મોદીનું સ્વાગત કરતી સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જે વાયરલ થઈ. આ તેમનો ઇટાલીનો પહેલો દ્વિપક્ષીય પ્રવાસ છે. અગાઉ પણ COP28 અને G7 શિખર સંમેલનમાં તેમની તસવીરો ચર્ચામાં રહી હતી. પ્રવાસ દરમિયાન PM મોદી રાષ્ટ્રપતિ અને PM મેલોની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને CEO સાથે સંવાદ કરશે.
PM મોદી-મેલોની સેલ્ફી ઇટાલી પહોંચતા વાયરલ.
ભાજપ કાર્યકર હત્યા: હત્યારાઓને પકડવા પોલીસ ગુજરાત બહાર રવાના.
સુરતમાં ભાજપ કાર્યકર જય દલાલની હત્યાના આરોપીઓને પકડવા પોલીસ સક્રિય. મહારાષ્ટ્ર, યુ. પી. અને રાજસ્થાન ખાતે ચાર ટીમો રવાના કરાઈ. ઉધના રોડ નંબર છ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા. કિશન ઉર્ફે ચકલી, પંકજ પટેલ અને મિલિન્દ કોળી સામે ગુનો. Crime Branch પણ તપાસમાં જોડાઈ. હત્યાનું કારણ સ્પષ્ટ નથી.
ભાજપ કાર્યકર હત્યા: હત્યારાઓને પકડવા પોલીસ ગુજરાત બહાર રવાના.
ભોજશાળા બાદ કુતુબ મિનાર પર વિવાદ, કાનૂની લડત તેજ.
ભોજશાળામાં પૂજા મંજૂરી બાદ કુતુબ મિનાર પરિસરમાં પણ પૂજા અધિકાર માટે કાનૂની લડાઈ તેજ બની છે. હિન્દુ સંગઠનો, 'United Hindu Front' ના બેનર હેઠળ, જાણીતા વકીલ વિષ્ણુ શંકર જૈનની મુલાકાત લેશે, જેઓ ભોજશાળા અને જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ભોજશાળા બાદ કુતુબ મિનાર પર વિવાદ, કાનૂની લડત તેજ.
8 વર્ષમાં લિથિયમની આયાત દસ ગણી વધી!
ભારતની લિથિયમ આયાત આઠ વર્ષમાં દસ ગણી વધી છે, જે EV બજારના ઝડપી વિસ્તરણ અને બેટરી સ્ટોરેજની વધતી માંગને પ્રતિબિંબિત કરે છે, તેમ છતાં સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વપરાશ વૃદ્ધિથી પાછળ રહી ગઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, એપ્રિલ-ફેબુ્રઆરી નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન લિથિયમ આયાત વધીને રૂ. ૩૭,૬૨૪.૬ કરોડ થઈ ગઈ છે. જે નાણાકીય વર્ષ ૨૦૧૮માં રૂ. ૩,૫૩૨ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૨૫,૪૫૮.૬ કરોડની આયાત થઈ હતી, અને નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૧૧ મહિનામાં લગભગ ૪૮% વધી ગઈ છે.
8 વર્ષમાં લિથિયમની આયાત દસ ગણી વધી!
ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની કોઈ કંપની નહીં.
હાલમાં, માર્કેટ કેપ પ્રમાણે વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની કોઈ કંપની સામેલ નથી. અમેરિકાના ટેરિફ અને પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે ભારતીય ઇક્વિટીમાં ઘટાડો થયો, જેના પરિણામે ભારતીય કંપનીઓની માર્કેટ કેપમાં ઘટાડો થયો. ૨૦૨૫ની શરૂઆતમાં, રિલાયન્સ, TCS, અને HDFC બેંક ટોચની ૧૦૦માં હતી. રિલાયન્સ, જે ૨૦૨૫માં ૫૭મા અને ૨૦૨૬માં ૭૩મા સ્થાને હતી, તે હવે ૧૦૫મા સ્થાને છે.
ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની કોઈ કંપની નહીં.
શું ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે?
ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. બંગાળમાં ભાજપની જીત પછી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કયા આયોજન સાથે મેદાનમાં ઉતરશે એના પર બધાની નજર છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો દેખાવ ખુબ સારો રહ્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પોતાની રણનીતિ અત્યારથી ખુલ્લી કરવા માંગતા નથી. એક નિવેદનમાં એમણે કહ્યું હતું કે અમારા વિરોધી ખુબ શક્તિશાળી છે એટલે અમારે રણનીતિ જાહેર કરવી જોઈએ નહીં.
શું ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે?
મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો.
પાલિતાણા ખાતે રહેતા મોહનભાઈ ભાકાભાઈ વાઘેલાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં મુકેશ ભકાભાઈ વાઘેલા અને ભરત મુકેશભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત તેમના ભાઈના દિકરા ભરતે ફોનમાં તેમના વિરૃદ્ધ ખરાબ સ્ટેટ્સ મુક્યું હતું. જેથી તેમને સમજાવવા જતાં ઉક્ત લોકોએ ઉશ્કેરાઈને તેમને કુહાડી મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે તેમના પત્નિ અને બાળકોને ઢીકાપાટુંનો માર મારી ધમકી આપી હતી. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે.