અમદાવાદમાં બાળકોનું અપહરણ અને વેચાણમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં બાળકોનું અપહરણ અને વેચાણમાં બે આરોપીઓની ધરપકડ
Published on: 07th September, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા એક મોટા માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ત્રણ સગીર બાળકોને અપહરણ કરીને ₹10,000 માં વેચી દેનારા અને તેમની પાસે કાળી મજૂરી કરાવનારા દિનેશ ઓડ અને ભરત ભરવાડ નામના બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ બાળકોનો ઉપયોગ પશુપાલન અને મજૂરી માટે થતો હતો. પોલીસે ત્રણેય બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે અને પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું છે. આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.