ગુજરાતને નિશાન બનાવવા 100 થી વધુ આતંકીઓ સક્રિય!
ગુજરાતને નિશાન બનાવવા 100 થી વધુ આતંકીઓ સક્રિય!
Published on: 19th July, 2026

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ જૈશ-એ-મોહમ્મદ(JeM)ના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે ગુજરાતને નિશાન બનાવવા 100 થી વધુ આતંકીઓને સક્રિય કરાયા હતા. અત્યાર સુધીમાં 13 આતંકીઓની ધરપકડ થઈ છે, જેમના દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં ફેલાયેલા નેટવર્કની કડીઓ મળી રહી છે. પાકિસ્તાન સ્થિત આકાઓ દ્વારા મદ્રેસાના યુવાનોને ટાર્ગેટ કરીને બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ થતો હતો, જેના માટે JeMના લખાણવાળા પુસ્તકોનો ઉપયોગ થતો હતો. 8 વખત બોમ્બ બ્લાસ્ટના ટ્રાયલ પણ થયા હતા.