રાજકોટના અણિયારા ગામમાં ગોવાલિયા ફૂડ પ્રોડક્ટ પર દરોડો
રાજકોટના અણિયારા ગામમાં ગોવાલિયા ફૂડ પ્રોડક્ટ પર દરોડો
Published on: 10th August, 2026

રાજકોટ શહેર SOG ટીમે અણિયારા ગામે ગોવાલિયા ફૂડ પ્રોડક્ટ પેઢી પર દરોડો પાડી 550 કિલો પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂ.1.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પર જ નાશ કરાયો. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ એફએસએલને મોકલ્યા. રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયા બાદ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આવા અખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલાની બાતમીના આધારે થઈ.