કાશ્મીરી હિન્દુ કર્મચારીઓ પર આતંકી હુમલાની ધમકી
કાશ્મીરી હિન્દુ કર્મચારીઓ પર આતંકી હુમલાની ધમકી
Published on: 10th August, 2026

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરી નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. હવે કાશ્મીરી હિન્દુ કર્મચારીઓ પર હુમલાની ધમકી આપવામાં આવી છે. લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ નામના આતંકી સંગઠને એક ધમકીભર્યો પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં કાશ્મીરી હિન્દુ કર્મચારીઓને ઘાટી છોડીને જમ્મુમાં જશે તો પણ સુરક્ષિત નહીં રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આ ધમકીને પગલે પોલીસ સહિતનું સુરક્ષાતંત્ર એલર્ટ થઇ ગયું છે અને આ પત્રની તપાસ શરૂ કરવામાં આવી છે.