અકોટા ઘર દેરાસરમાંથી ૫૦૦ વર્ષ જૂની પ્રતિમાઓ ચોરનાર ત્રિપુટી ઝડપાઈ
અકોટા ઘર દેરાસરમાંથી ૫૦૦ વર્ષ જૂની પ્રતિમાઓ ચોરનાર ત્રિપુટી ઝડપાઈ
Published on: 05th June, 2026

વડોદરાના અકોટા ખાતેના ઘર દેરાસરમાંથી ૫૦૦ વર્ષ જૂની પંચધાતુની પ્રતિમાઓ અને કિંમતી દાગીનાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શંકાસ્પદ યુવકોને ઝડપી પાડ્યા છે. આ યુવકો દ્વારા ભગવાન શ્રી સુમતિનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુજીની પ્રતિમાઓ, ૫૦૦ ગ્રામ ચાંદીનો મુગટ અને અમેરિકન ડાયમંડની માળા સહિતના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.