સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો મંગળસૂત્ર ચોરનાર બે મહિલા ઝડપાઈ
સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો મંગળસૂત્ર ચોરનાર બે મહિલા ઝડપાઈ
Published on: 29th June, 2026

વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ચોરી જનાર બે મહિલાઓને અટલાદરા પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી છે. આ ઘટના 31મી મેના રોજ બની હતી જ્યારે પૂનમના દિવસે દર્શન માટે આવેલા એક પરિવાર સાથે આ ચોરી થઈ હતી. પોલીસે ચોરી થયેલ 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર આરોપી મહિલાઓ પાસેથી કબજે લીધું છે. ઝડપાયેલી મહિલાઓની ઓળખ સુભદ્રાબેન ભરતભાઈ દંતાણી અને જ્યોતિબેન જયેશભાઈ દંતાણી તરીકે થઈ છે, જેઓ અમદાવાદના રહેવાસી છે.