ઊંઝા સ્થિત ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાં રંગીન વરિયાળીનો પર્દાફાશ.
ઊંઝા સ્થિત ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાં રંગીન વરિયાળીનો પર્દાફાશ.
Published on: 23rd May, 2026

ઊંઝા સ્થિત 'ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી'માં ખોરાક-ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્ક્વૉડે મોટી કાર્યવાહી કરી ભેળસેળનો પર્દાફાશ કર્યો છે. ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક બનાવવા પ્રતિબંધિત લીલા કલરનો ઉપયોગ થતો હોવાનું જણાઈ આવતા અધિકારીઓએ દરોડા પાડી રૂ.3.30 લાખનો જથ્થો સીઝ કર્યો. ગાંધીનગરથી આવેલી ટીમે અચાનક ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કામગીરી અંગે માહિતી મળતાં તપાસ શરૂ કરી હતી. 3,548 કિલો વરિયાળી અને 140 કિલો એડલ્ટ્રન્ટ કલર જપ્ત કરાયો. સંચાલકો પાસે ફૂડ સેફ્ટી લાઇસન્સ નહોતું. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચનાથી આ કાર્યવાહી કરાઈ.