તમિલનાડુના યુવાનની CM વિજય બને તે માટે ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની સાયકલ યાત્રા.
તમિલનાડુના યુવાનની CM વિજય બને તે માટે ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની સાયકલ યાત્રા.
Published on: 23rd May, 2026

તમિલનાડુના એક યુવાને પોતાના પ્રિય અભિનેતા અને રાજનેતા સી. જોસેફ વિજય (વિજય થલાપતિ) રાજ્યના મુખ્યમંત્રી બને તેવી માનતા રાખી હતી. આ માનતા પૂરી કરવા માટે, રિંકિડેશન નામના આ યુવાને સાયકલ પર ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની ભવ્ય યાત્રા શરૂ કરી છે. તેણે પોતાના રાજ્યથી આ સફર શરૂ કરીને હાલમાં જ ગુજરાતના બગોદરા ખાતે પહોંચ્યો છે. તેની આ અનોખી ભક્તિ અને સાયકલ યાત્રા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સોમનાથ, દ્વારકા, નાગેશ્વર અને ચોટીલા જેવા ધાર્મિક સ્થળોના દર્શન કર્યા બાદ તે કેદારનાથ તરફ આગળ વધી રહ્યો છે.