સુવિધા અને સ્ટાફના અભાવે ગુજરાતની 5 સરકારી આયુર્વેદ કોલેજોમાં 209 બેઠકો ઘટાડી
સુવિધા અને સ્ટાફના અભાવે ગુજરાતની 5 સરકારી આયુર્વેદ કોલેજોમાં 209 બેઠકો ઘટાડી
Published on: 07th September, 2026

દિલ્હી સ્થિત નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) દ્વારા થયેલા ઇન્સ્પેક્શનમાં ગુજરાતની સરકારી આયુર્વેદ કોલેજોમાં નર્સિંગ સ્ટાફ, ફેકલ્ટી, જરૂરી સાધન સામગ્રી અને લેબનો અભાવ જણાયો. આ કારણે ભાવનગર અને ગાંધીનગરની બે કોલેજોની મંજૂરી રદ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ કોલેજોની બેઠકો ઘટાડવામાં આવી છે. BAMS પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી તે સમયે આ કાર્યવાહી કરવામાં આવી છે. NCISMના પ્રેસિડેન્ટ ડૉ. મુકુલ પટેલે ગુણવત્તાસભર ડોક્ટરો તૈયાર કરવા પર ભાર મૂક્યો. આયુષ નિયામકની નિષ્ક્રિયતા અને સ્ટાફની તંગી દૂર કરવામાં ઉદાસીનતાને કારણે NCISM દ્વારા આકરી કાર્યવાહી કરાઈ છે.