અંકલેશ્વરની યુપીએલ યુનિ.ના પ્રોફેસરો ઓક્સર્ફ્ડ યુનિ.ના સંશોધન કાર્યક્રમમાં સહભાગી
અંકલેશ્વરની યુપીએલ યુનિ.ના પ્રોફેસરો ઓક્સર્ફ્ડ યુનિ.ના સંશોધન કાર્યક્રમમાં સહભાગી
Published on: 25th August, 2026

અંકલેશ્વર સ્થિત યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસરો, ચેરમેન અને ગ્રુપ સીઈઓ જય શ્રોફ્ના માર્ગદર્શન હેઠળ, જુલાઈ 2026માં યુકેની પ્રતિષ્ઠિત ઓક્સર્ફ્ડ યુનિવર્સિટી ખાતેના શૈક્ષણિક કાર્યક્રમમાં ભાગ લીધો. આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સસ્ટેનેબિલિટી, ક્લાઇમેટ એક્શન અને ઈનોવેશન જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો સાથે વિસ્તૃત ચર્ચા થઈ. ઓક્સર્ફ્ડ યુનિવર્સિટીની ટયુટોરિયલ આધારિત શિક્ષણ પદ્ધતિ અંગે પણ જાણકારી મેળવી.