ગુજરાતથી કાનપુર જતી બસમાં ભીષણ આગ
ગુજરાતથી કાનપુર જતી બસમાં ભીષણ આગ
Published on: 25th August, 2026

મધ્ય પ્રદેશના સરદારપુર નજીક સુરતથી કાનપુર જતી એક ખાનગી મુસાફર બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાંથી ધુમાડો નીકળતા ચાલક બસ રોકી ભાગી ગયો હતો. મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક મુસાફરો દરવાજેથી અને અન્ય યાત્રીઓએ બારીના કાચ તોડી બહાર કૂદી પોતાની જાન બચાવી હતી. દાહોદ પાસે બસ રિપેરિંગ કરાવાયું હતું. આ ઘટનામાં મોટાભાગનો સામાન બળી ગયો હતો અને કેટલાક યાત્રીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસે મુસાફરોને અન્ય બસો દ્વારા રવાના કર્યા.