ભાવનગર શહેરમાં બુધવારે ઈદે મિલાદુન્નબીનું ભવ્ય ઝુલુસ નીકળશે
ભાવનગર શહેરમાં બુધવારે ઈદે મિલાદુન્નબીનું ભવ્ય ઝુલુસ નીકળશે
Published on: 25th August, 2026

ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ નિમિત્તે તા. ૨૬મી બુધવારે ભાવનગર શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે શહેરના ચાવડીગેટ, બાપુની વાડીએથી એક વિશાળ ઝુલુસ નીકળશે, જેને અધિકારીઓ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ઝુલુસમાં મિલાદ પાર્ટીઓ, યુવક મંડળો, વિવિધ વાહનો અને પરંપરાગત વેશભૂષા ધારણ કરેલા લોકો સામેલ થશે.