37 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત: સરકારના પ્રયાસો.
37 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત: સરકારના પ્રયાસો.
Published on: 13th May, 2026

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના 37,415 વિદ્યાર્થીઓએ આર્થિક, સુરક્ષા કારણોસર અભ્યાસ છોડ્યો. શિક્ષણ વિભાગ 'બેક ટુ સ્કૂલ' મિશન હેઠળ 14 તાલુકામાં મેગા સર્વે કરી, વાલીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી, 32,078 વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડ્યા. બાકીના 5337 વિદ્યાર્થીઓને પણ આવરી લેવાશે.