દાહોદની શ્રીકૃષ્ણ પ્રણામી કૉલેજમાં કવિ P.B. Shelley ની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
દાહોદની શ્રીકૃષ્ણ પ્રણામી કૉલેજમાં કવિ P.B. Shelley ની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
Published on: 06th August, 2026

દાહોદની શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી વિભાગ દ્વારા વિશ્વ વિખ્યાત કવિ P.B. Shelley ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ P.B. Shelley ના સાહિત્ય, કારકિર્દી અને બૌધિક લેખનની સફર રજૂ કરી, જેમાં તેમની કવિતાઓ પણ સામેલ હતી. કૉલેજના આચાર્યા ડૉ. પારુલસિંહે વિદ્યાર્થીઓને વાંચન અને સર્જનાત્મકતાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દેહદા સગુણા કનુભાઈ અને કંદોઈ યશ રસિકભાઈ દ્વારા કરાયું, જ્યારે આભાર વિધિ અધ્યાપિકા ભાભોર ધ્વનિએ કરી.