બારડોલીના જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા 242 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ
બારડોલીના જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા 242 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ
Published on: 16th June, 2026

બારડોલીના ભુવાસણ-ઝાંખરડા ખાતે કાર્યરત જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય પરંપરા જાળવી રાખવામાં આવી છે. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાકાર્યમાં સંસ્થાના પ્રમુખ અલ્પેશભાઈ માહ્યાવંશી, ઉપપ્રમુખ નરેશભાઈ માહ્યાવંશી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દાતા મોહનભાઈ માહ્યાવંશી અને હોદ્દેદારોના હસ્તે 242 વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાયું.